કબજિયાત ના કારણો અને દુર કરવા ના સરળ ઉપાયો – વાંચો અને વંચાવો
સામાન્ય રીતે મળ નું નિષ્કાસન ન થાય, આંત્ર માં મળ રોકાઈ જાય તેને કબજિયાત કહી શકાય. સવારે ટોઈલેટ માં વધુ વાર બેસી રહેવુ પડે, જોર કરવુ પડે, પછી પણ પેટ સંપૂર્ણ ખાલી ન લાગે ..પેટ મા ભાર જ રહે તો કબજિયાત ને દુર કરવાના ઉપાયો કરવા, તેમજ કબજિયાત ના કારણો પણ દુર કરવા .
કબજિયાત થવાના મુખ્ય કારણો
- બપોરે જમ્યા પછી તુરંત બેસી રહેવું ,રાત્રે જમ્યા પછી તુરંત સુઈ જવું.
- રાત્રે મોડા જમવું.
- સવાર નો ખોરાક પચ્યો પણ ના હોય અને પાછું જમવા બેસી જવું.
- ભૂખ ના હોવા છતા જમવુ.જમી ને તુરંત વધુ પડતુ પાણી પીવું.
- સવાર નો વાસી ખોરાક સાંજે જમવામાં લેવો.
- બેકરી ,મેંદા નો ઉપયોગ વધુ પડતો કરવો.
- ફ્રીઝ નું ઠંડુ પાણી પીવું.
- રૂક્ષ-વાયુ કારક-વાયડો ખોરાક વધુ પડતુ લેવો.
- રોજિંદા ખોરાક માં તેલ-ઘી નો બિલ્કુલ અભાવ હોવો.
- પચવામાં ભારે ખોરાક નું પ્રમાણ વધુ હોવું અને ફાઈબર્સ-રેસાયુક્ત ખોરાક નો ઉપયોગ બિલકુલ ઓછો હોવો.
- પરિશ્રમ નો બિલકુલ અભાવ હોવો.
- દિવસે ઉંઘવુ ,અને રાત્રે ઉજાગરા કરવા.
- ચા-બીડી-તમાકું નું સેવન વધુ પડતુ કરવું.
- અનિયમીત દિનચર્યા અને અનિયમીત ભોજન ના કારણે કબજિયાત અને પેટ (ગેસ)ની સમસ્યા એ દરેક રોગો ની જનેતા છે.
કબજિયાત દૂર કરવાના સરળ ઉપાયો
- સૌ પ્રથમ તોહ કબજિયાત નું જે કારણ હોય એ દુર કરવું.
- સુપાચ્ય હલ્કો તાજો ગરમ ખોરાક ભુખ લાગે ત્યારે સ્વરુચી મુજબ સમયસર લેવો.
- ચીંતા કર્યા વગર,પ્રસન્ન ચીત્તે,ધીમે ધીમે ચાવી ચાવી ને આહાર લેવો .
- ભોજન વખતે ટીવી મોબાઈલ નો ઉપયોગ બિલ્કુલ ના કરવો .
- જમ્યા પછી ઘુંટડો જ પાણી પીવુ.વધુ પડતુ પાણી ના પીવું.દોઢ કલાક પછી પાણી પીવુ.ખોરાક નુ પાચન બરાબર થશે.
- જમ્યા પછી સો ડગલા ચાલવુ.અથવા ડાબા પડખે દશ મિનિટ સુઈ જવું(વામ કુક્ષી),પરંતુ ઉંઘી ના જવું.વજ્રાસન માં બેસવું.
- રાત્રે વહેલુ તેમજ એક્દમ હલ્કો ખોરાક જ લેવો.
- નિયમીત સવાર -સાંજ ચાલવા જવું.
- ફ્રીઝ નુ પાણી ના પીવું અને શક્ય ત્યાં સુધી આખો દિવસ નવસેકું પાણી જ પીવું.
કબજીયાત માટે અમુક ઘરગથ્થુ સરળ ઉપચાર
- સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધ માં દેશી ગાય નું ઘી એક કે બે ચમચી પી જવાથી સવારે પેટ સાફ થશે.(દેશી ગાય નુ ઘી હ્રદ્ય-(કોલેસ્ટ્રોલ) રોગ વાળા પણ ઉપયોગ કરી શકે).
- સવારે વહેલા ઉઠી ને લીંબુ નો રસ અને સંચળ મીઠુ ગરમ પાણી માં મિક્ષ કરી ને પી જવુ.એનાથી પેટ સાફ થશે
- રાત્રે ૧૫ ગ્રામ ત્રિફલા ચુર્ણ એક લીટર પાણી માં પલાળી રાખી સવારે ચુર્ણ ગાળી ને પાણી પી જવુ.થોડાક દિવસ માં કબજિયાત ની તકલીફ દુર થઈ જશે.
- રાત્રે સુતા પહેલા ગરમ દુધ માં દિવેલ મિક્ષ કરી પી જવું.એનાથી સવારે પેટ સાફ થશે.
- કાળી દ્રાક્ષ પાણી માં પલાળી રાખી ખાવાથી કબજિયાત માં ફાયદો થશે.
- ઇસબગોલ પણ કબ્જિયાત માં બહુજ લાભદાયી છે.રાત્રે સુતા પહેલા ઇસબગોલ લેવાથી કબજિયાત દુર થશે.
- કબજિયાત માં મધ પણ ફાયદાકારક છે.
- રાત્રે સુતા પહેલા એક ચમચી મધ એક ગ્લાસ સાદા પાણી માં મિક્ષ કરી ને પીવાથી સવારે પેટ સાફ થશે.
- હરડે ને પીસી ને બારીક ચુર્ણ બનાવી રોજ રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થશે અને પેટ માં ગેસ પણ ઓછો થશે.
- પાકેલું જામફળ અને પપૈયુ કબ્જિયાત માટે લાભદાયી છે.
- પાલક નો રસ પીવાથી કબજિયાત ની તકલીફ દુર થશે.જમવામાં પણ પાલક ની ભાજી અવારનવાર લેવી.
- અંજીર આખી રાત પલાળી રાખી સવારે ખાવાથી કબજિયાત દુર થશે.
- બહુજ જુની કબજિયાત મા પંચકર્મ (શરીર શુધ્ધીકરણ) અકસીર છે.
આ ઉપાયો કરવા છતાં પણ કબજિયાત રહે તોહ જડમૂળમાંથી નિકાળવા આયુર્વેદ -ચિકિત્સક ની સલાહ અવશ્ય લેવી.
-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)